(અને) ચેતનાવડે ચેતનની સત્તા છે, માટે ચેતન સત્તાને રાખવાનું
કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞશક્તિ છે, (તે) સર્વેમાં પ્રધાન
છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વે ગુણો હોય. જેમ નિગોદિયાને
જ્ઞાન હીન છે, તેથી સર્વે ગુણો દબાયેલા છે, જ્ઞાન વધ્યું ત્યારે ગુણો
વધતા ગયા. જેમ જેમ સ્વસંવેદન
વિના અનંત સુખ (એવું) નામ ન પામ્યું, માટે જ્ઞાનગુણ સર્વ
ચેતનામાં પ્રધાન છે. તેનાથી જ ચેતના સત્તા છે. સાધારણ સત્તા હતી
તેને ચેતનાસત્તા એવું નામ મળ્યું તે ચેતનાને લીધે મળ્યું છે. ચેતનામાં
જ્ઞાન પ્રધાન છે. સાધારણ સત્તા અપ્રધાન હતી તેને અસાધારણ
ચેતનતારૂપ જ્ઞાનની પ્રધાનતાથી ‘અસાધારણ ચેતનસત્તા’ એવું પ્રધાન
નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તાજ્ઞાનના વીર્યથી છે, તેથી
વીર્યગુણ પ્રધાન છે.
પર્યાયવીર્ય કહીએ. (પરિણામ વડે) વસ્તુને વેદે, ગુણને વેદે ત્યારે વસ્તુ
પ્રગટે, વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે.
વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો
ગુણનું સ્વરૂપ ન રહે; જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન રહે.
તેથી સર્વ ગુણો ન પરિણમે. તો સર્વ ગુણો કઈ રીતે હોય? સર્વનું
મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, (તે) નિત્યનું કારણ છે,
નિત્ય-અનિત્ય વસ્તુ છે. પર્યાય(રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય (રૂપી) ધ્રુવ
સમુદ્રને દર્શાવે છે.