પર્યાયરૂપ ભાવ, તેને ગુણભાવ કહીએ. પર્યાયમાં જે પરિણમનશક્તિનું
જે લક્ષણ છે તે પર્યાયનો ભાવ છે. ગુણે ગુણનો ભાવ જુદો જુદો
છે; પર્યાયનો વર્તમાનભાવ અતીતભાવ સાથે મળતો નથી, અતીત
અનાગત સાથે, વર્તમાન અનાગત સાથે મળતો નથી (અને) અનાગત
વર્તમાન (કે) અતીત સાથે મળતો નથી. જે પરિણામ વર્તમાન છે
તેનો ભાવ તેમાં જ છે. (આ પ્રમાણે પોતાના) ભાવને નિષ્પન્ન
રાખવાનું જે સામર્થ્ય તેનું નામ ભાવવીર્ય કહીએ.