Chidvilas (Gujarati). Ek Gunama Sarva Gunonu Roop Sambhave Chhe.

< Previous Page   Next Page >


Page 71 of 113
PDF/HTML Page 85 of 127

 

background image
[ ૭૧
એક ગુણમાં સર્વ ગુણોનું રુપ સંભવે છે
વસ્તુમાં અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ
સંભવે છે. કઈ રીતે? તે કહે છે, જો સત્તાગુણ છે તો સર્વે ગુણ
છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ(ત્વ) ગુણ છે
તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો)
સામાન્ય-વિશેષતા સહિત છે; જો દ્રવત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે
વ્યાપે છે; જો અગુરુલઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુલઘુ છે; જો
અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ
છે તો સર્વે (ગુણો) અમૂર્તિક છે. આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં
છે (અને તે) સર્વની સિદ્ધિનું કારણ છે.
એકેક ગુણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સાધીએ (જેમ કે) એક
જ્ઞાન ગુણ છે. તેનું જ્ઞાનરૂપ તો દ્રવ્ય છે, તેનું (જાણપણારૂપ) લક્ષણ
તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેજે પરિણતિ તે પર્યાય છે, જ્ઞાન
જ્ઞેયો વિષે પર્યાય વડે આવ્યું છે, તો પરિણતિ તો ન આવી! તો પર્યાય
વડે (જ્ઞાન જ્ઞેયમાં) કઈ રીતે આવ્યું?
તેનું સમાધાનઃ(જ્ઞાનની) પરિણતિ અભેદરૂપે અથવા
તાદાત્મ્યરૂપે (તો જ્ઞેયમાં) આવી નથી, પરંતુ પર્યાયની શક્તિ (જ્ઞેયમાં)
ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી (તેને) જ્ઞેયાકાર કહીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે. જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે,
કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ (પ્રદેશો) જ્ઞાનના છે. તેથી
અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ-પર્યાયની સિદ્ધિ થઈ. ભેદ