છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ(ત્વ) ગુણ છે
તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો)
સામાન્ય-વિશેષતા સહિત છે; જો દ્રવત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે
અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ
છે તો સર્વે (ગુણો) અમૂર્તિક છે. આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં
છે (અને તે) સર્વની સિદ્ધિનું કારણ છે.
તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
વડે (જ્ઞાન જ્ઞેયમાં) કઈ રીતે આવ્યું?
ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી (તેને) જ્ઞેયાકાર કહીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે. જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે,
કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ (પ્રદેશો) જ્ઞાનના છે. તેથી
અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ-પર્યાયની સિદ્ધિ થઈ. ભેદ