Chidvilas (Gujarati). Dravya-Guna-Paryayano Vilash.

< Previous Page   Next Page >


Page 79 of 113
PDF/HTML Page 93 of 127

 

background image
[ ૭૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ
સત્તાના આધારે સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તેથી સત્તા જ સર્વ
દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે.
કોઈ પ્રશ્ન કરે કે સત્તા તો ‘છે’ લક્ષણવાળી છે, (તે) વિલાસ
કઈ રીતે કરે છે?
તેનું સમાધાનઃદ્રવ્યનો વિલાસ દ્રવ્ય કરે, ગુણનો (વિલાસ)
ગુણ કરે, (અને) પર્યાયનો (વિલાસ) પર્યાય કરે; (પરંતુ) એ ત્રણેના
વિલાસનો અસ્તિભાવ સત્તા વડે છે, તેથી સત્તા જ (તેનો વિલાસ)
કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ જ્ઞાનમાં આવ્યો; જ્ઞાનના
વેદનપણાને લીધે જ્ઞાન જ એ ત્રણેનો વિલાસ કરે છે. એ જ પ્રમાણે
દર્શનમાં પણ (તે વિલાસ) આવ્યો, (તેથી) દર્શન સર્વ દ્રવ્ય-ગુણ-
પર્યાયના રૂપનો વિલાસ કરે છે. પરિણામ સર્વને વેદીને રસાસ્વાદ લે
છે, તેથી પર્યાય સર્વનો વિલાસ કરે છે. આ પ્રમાણે, અનંત ગુણો
છે. એકેક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનો વિલાસ કરે છે.