તે જ શક્તિ ભવિષ્યમાં રહે છે, તેથી જ્ઞાનમાં ભાવભાવશક્તિ છે.
આ પ્રમાણે દર્શનમાં જે ભાવ પૂર્વે હતો તે જ ભવિષ્યમાં રહે છે
તેથી ભાવભાવશક્તિ દર્શનમાં પણ છે. જ્ઞાનમાં, દર્શનમાં એ પ્રમાણે
અનંત ગુણોમાં ભાવભાવશક્તિ છે. સર્વે ગુણનો ભાવ એક એક
ગુણમાં છે તેથી એક પોતાના ભાવથી સર્વે ગુણનો ભાવ છે અને
સર્વે ગુણોના ભાવથી એક ગુણનો ભાવ છે, માટે ભાવભાવશક્તિ
ગુણોમાં છે. એક ગુણમાં દ્રવ્ય-પર્યાયનો ભાવ છે અને દ્રવ્ય-પર્યાયના
ભાવમાં ગુણનો ભાવ છે તેથી ભાવભાવશક્તિ સર્વે કહીએ. એકેક
ભાવમાં અનંતભાવ છે અને અનંતભાવમાં એક ભાવ છે. વસ્તુનો
સદ્ભાવ પ્રગટવો તે ભાવ છે; એક ભાવમાં અનંત રસનો વિલાસ
છે. વિલાસના પ્રભાવને પ્રગટપણે (વસ્તુ) ધારણ કરે છે, વસ્તુમાં
જ અનેક અંગનું વર્ણન જિનદેવ બતાવે છે.
સુખરસ છે. એ સુખરસના પીવાથી ચિદાનંદ અજર અમર થઈને
નિવાસ કરે છે.