Chidvilas (Gujarati). Ek Samayana Karan-Karyama Tran Bhed Dravyana Karan Karya.

< Previous Page   Next Page >


Page 81 of 113
PDF/HTML Page 95 of 127

 

background image
[ ૮૧
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ
સમય સમય(નાં) કારણ કાર્યદ્વારા આનંદનો વિલાસ થાય છે.
તે કારણકાર્ય પરિણામથી છે. પૂર્વ પરિણામ કારણ છે તે ઉત્તર
પરિણામ(રૂપ) કાર્યને કરે છે. તે એક જ કારણકાર્યમાં ત્રણ ભેદ
સધાય છે, તે કહીએ છીએ. જેમ ષટ્ગુણી વૃદ્ધિ
હાનિ એક સમયમાં
સધાય તેમ એક વસ્તુના પરિણામમાં ભેદ કલ્પનાદ્વાર વડે કારણકાર્યના
ત્રણ ભેદ સાધીએ છીએ. (તે આ પ્રમાણે
) દ્રવ્ય કારણકાર્ય, ગુણ
કારણકાર્ય અને પર્યાય કારણકાર્ય. પ્રથમ દ્રવ્યના કારણકાર્ય કહીએ
છીએઃ
દ્રવ્યના કારણકાર્ય
(૧) દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું કારણ છે અને
પોતે જ કાર્યરૂપ છે; અથવા,
(૨) ગુણ-પર્યાય તે દ્રવ્યનું કારણ છે (અને દ્રવ્ય કાર્ય છે.)
ગુણ પર્યાયવાન્ દ્રવ્ય આવું સૂત્રનું વચન છે;
(૩) પૂર્વ પરિણામ યુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તર પરિણામ
યુક્ત દ્રવ્ય કાર્ય છે; અથવા
(૪) ‘સત્’ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે; અથવા
(૫)
‘द्रवत्वयोगात् द्रव्य’ (એટલે કે દ્રવત્વના યોગથી દ્રવ્ય છે)
દ્રવત્વગુણ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે.
૧. જુઓ તત્ત્વાર્થ સૂત્ર ૫૩૮.
૨. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨; ૨૩૦.