Chidvilas (Gujarati). Paryayna Karan Karya.

< Previous Page   Next Page >


Page 83 of 113
PDF/HTML Page 97 of 127

 

background image
એક સમયના કારણ-કાર્યમાં ત્રણ ભેદ[ ૮૩
નય’ની વિવક્ષાથી અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે;
‘અન્યગુણગ્રાહક-નિરપેક્ષ, કેવળ ‘નિજગુણગ્રાહકનય’ની વિવક્ષાથી નિજ
ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ છે;
પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે પર્યાય કારણ છે,
ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે.
હવે પર્યાયના કારણકાર્ય કહીએ છીએઃ
પર્યાયનાં કારણકાર્ય
(૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય
છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિ,જેમ સમુદ્ર વિના તરંગ હોતાં
નથી તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ
ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાંના પર્યાય અધિકારમાં) કહ્યું છે કે
अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं
उन्मज्जंति निमज्जंति जलकल्लोलवज्जले ।। પૃ. ૨૬.
(અર્થઃજળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન
દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે તથા
નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
(૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએઃ
ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિના
પર્યાય ન હોય,
એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે.એક તો આ
વિશેષણ (પ્રકાર) છે. અને બીજું ગુણ વિના ગુણપરિણતિ ન હોય
માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે) પરિણમે છે ત્યારે
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય
કાર્ય છે.