સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું
પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
અને પર્યાય (તેનું) કાર્ય છે.
પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના
અનંતાઅનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત
સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે.
તે (મહિમાને) કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ
સ્વરૂપના અનુભવ(રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.