Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 131-132.

< Previous Page   Next Page >


Page 76 of 181
PDF/HTML Page 103 of 208

 

૭૬

ગુરુદેવશ્રીનાં વચનામૃત

ને વિકલ્પોની જાળ છોડીને, વિકલ્પથી જુદી એવી જ્ઞાનચેતના વડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ ઇષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થ છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ પરમાર્થ છે, બીજું કાંઈ પરમાર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી. પં૦ બનારસીદાસજીએ કહ્યું છે ને! शुद्धातम अनुभौ क्रि या, शुद्ध ज्ञान दृग दौर

मुक ति-पंथ साधन यहै, वागजाल सब और ।।

શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેને આવા આત્માનો અનુભવ કરતાં આવડ્યું તેને બધું આવડી ગયું. ૧૩૦.

નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે; તે આબાલ- ગોપાલ કરી શકે છે. એ વિના શાન્તિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૩૧.

તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. સિદ્ધગતિમાં જતાં વચ્ચે એકાદ બે ભવ થાય તેની ગણતરી નથી; અને નિગોદમાં જતાં વચ્ચે અમુક