Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 135-136.

< Previous Page   Next Page >


Page 78 of 181
PDF/HTML Page 105 of 208

 

૭૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧૩૪.

જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિમામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે ને

આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.

યોગસારમાં પણ કહ્યું છે કે

જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
૧૩૫.

પોતાના ચિદાનંદસ્વભાવના અભિમુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદનપત્ર આપે તેમાં આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભુ! તને તારા આત્માનું સાચું