Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 148-150.

< Previous Page   Next Page >


Page 84 of 181
PDF/HTML Page 111 of 208

 

૮૪

ગુરુદેવશ્રીનાં વચનામૃત

દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. અહા! શ્રી કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે ને! અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યંત બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગ ને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાંય નહોતા; એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ૧૪૮.

કોઈએ કોઈને ત્રણ કાળમાં છેતર્યો નથી, કપટના ભાવ કરી જીવ પોતે જ પોતાને છેતરે છે. કોઈ એમ માને કે ‘મેં ફલાણાને કેવો છેતર્યો?’ પણ ભાઈ! તેમાં તે છેતરાણો નથી, પણ તું જ છેતરાણો છો. સામાનાં પુણ્ય એટલાં ઓછાં કે તારા જેવો કપટી એને મળ્યો, પરંતુ કપટના, દગાપ્રપંચના ભાવ કરીને તને પોતાને જ તેં છેતર્યો છે, બાકી ત્રણ કાળમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. ૧૪૯.

વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવદ્રષ્ટિએ ગૌણ છે. સ્વભાવદ્રષ્ટિએ તો જેટલા પર- વલણવાળા ભાવ થાય તે બધા પૌદ્ગલિક છે. પર્યાય- દ્રષ્ટિએ તે વિકારી પર્યાય આત્માની છે પણ સ્વભાવદ્રષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌદ્ગલિક છે. ૧૫૦.