Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 86 of 181
PDF/HTML Page 113 of 208

 

૮૬

ગુરુદેવશ્રીનાં વચનામૃત

ધર્મ કહેતાં વ્રતાદિના શુભ રાગપરિણામ ધર્મ નથી પણ આસ્રવ છે, કહેવામાત્ર ‘ધર્મ’ છે.આમ જાણવું તેને ગ્રહણ કરવું’ કહ્યું છે. જ્યાં વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છેએમ જાણવું. બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. પં ટોડરમલજીએ મોક્ષમાર્ગ- પ્રકાશકમાં કહ્યું છે ને!

‘‘પ્રશ્નઃજો એમ છે, તો જિનમાર્ગમાં બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છેએ કેવી રીતે?

ઉત્તરઃજિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે’ એમ જાણવું; તથા ક્યાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને ‘આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પરંતુ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે’ એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.’’ ૧૫૨.