Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 161.

< Previous Page   Next Page >


Page 90 of 181
PDF/HTML Page 117 of 208

 

૯૦

ગુરુદેવશ્રીનાં વચનામૃત

તરફ દ્રષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. ૧૬૦.

જીવ જે વખતે રાગ-દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનુંઆકુળતાનુંવેદન હોય છે. માટે કર્તાપણું અને ભોક્તાપણું બન્ને એકસાથે જ છે. લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યાં તો તે નરકમાં ક્યારે જશે? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી? પણ ભાઈ! જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વેદન હોય છે; આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદિ સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું; તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું; જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રયદ્રષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જતે ક્ષણે જ મળી જાય છે. ૧૬૧.