Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 172-173.

< Previous Page   Next Page >


Page 97 of 181
PDF/HTML Page 124 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૯૭

પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છેએમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. ૧૭૧.

સમ્યગ્દ્રષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાન સમ્યગ્દર્શનથયું હોય તે. હું જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છુંએમ પહેલાં ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે; પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે, એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે; અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદર વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યગ્દ્રષ્ટિ કહેવાય છે. ૧૭૨.

હું શુદ્ધ છુંશુદ્ધ છું’ એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં આનંદ ઝરતો નથી. પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી. આત્માનો પરમાર્થ