[ ૯ ]
પ્રકાશકીય નિવેદન
(ત્રીજી આવૃત્તિ પ્રસંગે)
આ ગુજરાતી ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ ગ્રંથની બીજી આવૃત્તિ ખપી જવાથી તેની ત્રીજી આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તેમનો ટ્રસ્ટ આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.
સાહિત્યપ્રકાશનસમિતિ
વિ. સં. ૨૦૫૮, કારતક સુદી-૧૫, તા. ૩૦-૧૧-૨૦૦૧
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
❀