કે – પરમભાવને જાણ, પરથી ભલું-બૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. ‘આ જ હું છું’ – એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દ્રઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રૂપ પરિણમી જાય છે. આવી સેવા – ઉપાસના – ના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨.
દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દ્રષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. ‘ઘૂસી જા’ નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરી — અભેદ થઈ — એમ કહેવાય છે. ૧૮૩.
દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કહું છું તેનાથી દુનિયા રાજી