Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 183-184.

< Previous Page   Next Page >


Page 103 of 181
PDF/HTML Page 130 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૦૩

કેપરમભાવને જાણ, પરથી ભલું-બૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. આ જ હું છુંએવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દ્રઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રૂપ પરિણમી જાય છે. આવી સેવાઉપાસનાના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨.

દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દ્રષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. ‘ઘૂસી જા’ નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરીઅભેદ થઈ એમ કહેવાય છે. ૧૮૩.

દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કહું છું તેનાથી દુનિયા રાજી