Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 270-272.

< Previous Page   Next Page >


Page 146 of 181
PDF/HTML Page 173 of 208

 

૧૪૬

ગુરુદેવશ્રીનાં વચનામૃત

લીધું. મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે પણ ‘પકડ પકડમેં ફેર હૈ,’ તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય પણ ભાવમાં આંતરા હોય છે. ૨૬૯.

સ્ત્રી, પુત્ર, પૈસા આદિમાં રચ્યા-પચ્યા રહેવું એ તો ઝેરીલો સ્વાદ છે, સર્પનો મોટો રાફડો છે; પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહા- જ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ન આવ્યા. ૨૭૦.

જ્ઞાનીને પણ આકરા રોગ આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં બેસૂધ જેવું લાગે, પણ અંદરમાં બેસૂધ નથી. ૨૭૧.

મુનિને કર્મપ્રક્રમ હોતો નથીમુનિ કોઈ કામ માથે લેતા નથી. ‘પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે; પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે; તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે.’આવાં કોઈ પણ કામ મુનિ માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનો બોજો મુનિ માથે રાખતા જ નથી. ૨૭૨.