Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 279-280.

< Previous Page   Next Page >


Page 151 of 181
PDF/HTML Page 178 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૫૧

દઈને અંદરમાં ઊતરી જાય છે; એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ તેનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો ‘અરેરે! મારે આમ છે ને તેમ છેએમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જા ને! ભાઈ! આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૨૭૮.

આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક- સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯.

લીંડીપીપરનો દાણો કદે નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં ચોસઠ પહોરી