Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 181
PDF/HTML Page 191 of 208

 

[ ૧૬૪ ]
સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે;
સાચા હૃદયનો સંત છે, પરવા નથી, જયકાર છે.
૧૧.
આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી;
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.
૧૨.
વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશને કરતો નથી;
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.
૧૩.
તેં ભાવસંયમ-બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું;
ભવપથ-ઉદધિ તરવા વિષે તેં લક્ષ અંતરમાં ધર્યું.
૧૪.
જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે;
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.
૧૫.
એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો,
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.
૧૬.
ગંભીર તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં,
જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચતા.
૧૭.
તુજ વદન-કમળેથી વહે ઉપદેશનાં અમૃત અહો!
અધ્યાત્મ
અમૃતપાનથી વારી જતા કોટી જનો.૧૮.
ઉપકાર તારા શું કથું? ગુણગાન તારાં શું કરું?
વંદન કરું, સ્તવના કરું, તુજ ચરણસેવાને ચહું.
૧૯.