જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા;
જિજ્ઞાસુને શરણસ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે?
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ ક્હાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.