[ ૧૬૭ ]
૬. ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે
(રાગઃ કુમકુમ કેસર વરસે છે મારે આંગણિયે)
ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે;
સ્વાધ્યાયમંદિર સ્થપાયાં અમ આંગણિયે.
મેરા મનડા માંહી ગુરુદેવ રમે;
જગના તારણહારાને મારું દિલ નમે.
સ્વાધ્યાયમંદિર સ્થપાયાં અમ આંગણિયે.
મેરા મનડા માંહી ગુરુદેવ રમે;
જગના તારણહારાને મારું દિલ નમે.
શાસન તણા સમ્રાટ અમારે આંગણે આવ્યા,
અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં;
અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં;
મીઠો મહેરામણ આંગણિયે ક્હાન મહારાજ,
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ.મેરા૦૧.
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ.મેરા૦૧.
અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે,
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
યુક્તિ – ન્યાયમાં શૂરા છો યોગીરાજ,
નિશ્ચય-વ્યવહારના સાચા છો જાણનહાર.મેરા૦૨.
દેહે મઢેલા દેવ છો, ચરિતે સુવર્ણવિશુદ્ધ છો,
ધર્મે ધુરંધર સંત છો, શૌર્યે સિંહણ – પીધ – દૂધ છો;
મુક્તિ વરવાને ચાલ્યા છો યોગીરાજ,
જિનવર ધર્મના સાચા આરાધનહાર.મેરા૦૩.
જિનવર ધર્મના સાચા આરાધનહાર.મેરા૦૩.
સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે,
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અંતર્ગતના ભાવોને ઓળખનાર,
સમ્યક્ શ્રુતના સાચા સેવનહાર,
કુંદકુંદ – નંદનને વંદન વારંવાર.
સમ્યક્ શ્રુતના સાચા સેવનહાર,
કુંદકુંદ – નંદનને વંદન વારંવાર.
(ગુરુવર – ચરણોમાં વંદન વાર હજાર.)મેરા૦૪.