Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 208

 

[ ૨૦ ]

પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢઆત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતનસદૈવ આત્માર્થીઓના જીવનપંથને ઉજાળતું રહેશે.

હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરુદેવ! આપશ્રીનાં પુનિત ચરણોમાંઆપની માંગલિક પવિત્રતાને, પુરુષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીનેઅત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો! જયવંત વર્તો!!

અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુક્હાનનો.

ફાગણ સુદ ૭ વિ. સં ૨૦૪૧ તા. ૨૭૧૯૮૫

શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)