Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 30-31.

< Previous Page   Next Page >


Page 18 of 181
PDF/HTML Page 45 of 208

 

૧૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે. ૨૯.

શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકપ્રભુની દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથસચ્ચિદાનંદ પ્રભુઆત્મા છો ને. પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધનાપરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધનાએવી કર કે જેનાથી તારું સાધ્યમોક્ષપૂર્ણ થઈ જાય. ૩૦.

ઇચ્છાનો નિરોધ કરી સ્વરૂપસ્વભાવની સ્થિરતાને ભગવાન ‘તપ’ કહે છે. સ્વરૂપમાં વિશ્રાન્તિરૂપ ચૈતન્યનુંજ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તે તપ છે. સમ્યગ્દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહારાદિની ઇચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે. અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં, વચ્ચે અશુભમાં ન જવા માટે, અનશન વગેરે બાર પ્રકારના