૧૮
ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે. ૨૯.
શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકપ્રભુની દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ — સચ્ચિદાનંદ પ્રભુ — આત્મા છો ને. પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના — પરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધના — એવી કર કે જેનાથી તારું સાધ્ય — મોક્ષ — પૂર્ણ થઈ જાય. ૩૦.
ઇચ્છાનો નિરોધ કરી સ્વરૂપ – સ્વભાવની સ્થિરતાને ભગવાન ‘તપ’ કહે છે. સ્વરૂપમાં વિશ્રાન્તિરૂપ ચૈતન્યનું — જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તે તપ છે. સમ્યગ્દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહારાદિની ઇચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે. અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં, વચ્ચે અશુભમાં ન જવા માટે, અનશન વગેરે બાર પ્રકારના