Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 40.

< Previous Page   Next Page >


Page 26 of 181
PDF/HTML Page 53 of 208

 

૨૬

ગુરુદેવશ્રીનાં વચનામૃત

સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું ને તું પણ સ્વતંત્ર છો, તારી મુક્તિ તારામાં જ છે;એમ ઓળખાણ કર. ઓળખાણ વડે તરવાનો ઉપાય પોતામાં જાણ્યો ત્યારે ભગવાનને આરોપ આપીને વિનયથી કહેવાય છે કે ‘ભગવાને મને તાર્યો,’ તે શુભ ભાવ છે ને તે વ્યવહારે સ્તુતિ છે.

શરીરાદિ તે હું છું, પુણ્ય-પાપભાવ તે પણ હું છુંએવા મિથ્યા ભાવ છૂટીને ‘હું એક ચૈતન્યસ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું’ આવા ભાનપૂર્વક ભગવાન તરફનો જે શુભભાવ થાય તે વ્યવહારે સ્તુતિ છે અને આવા ભાનપૂર્વક સાથે વર્તતી શુભભાવથી જુદી જે સ્વરૂપાવલંબી શુદ્ધિ છે તે પરમાર્થે સ્તુતિ છે. ૩૯.

શાસ્ત્રમાં વ્યવહાર ને પરમાર્થ બન્ને રીતે વાત આવે છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગદ્વેષ નથી; ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રવ્યદ્રષ્ટિથી કહ્યું છે. વળી તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે રાગદ્વેષ આત્મામાં થાય છે; ત્યાં એમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાયદ્રષ્ટિથી કહેવાયું છે. એ રીતે તે કથન જેમ છે તેમ સમજવું,