Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 42-43.

< Previous Page   Next Page >


Page 28 of 181
PDF/HTML Page 55 of 208

 

૨૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્યએમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારી પરિણામ એનું કાર્યએમ પણ કેમ હોઈ શકે? ન હોઈ શકે. ઘણાને મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહિ. નિમિત્તથી વિકાર થાય એમ શાસ્ત્રમાં જે કથન આવે છે તેનો અર્થ ‘નિમિત્તથી વિકાર થાય’ એમ નહિ પણ ‘નિમિત્તનો આશ્રય કરવાથી વિકાર થાય’ એમ છે. જો જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી, તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીઓનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૪૨.

મને બહારનું કાંઈક જોઈએ’ એમ માનનાર ભિખારી છે. ‘મને મારો એક આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ’ એમ માનનાર બાદશાહ છે. આત્મા અચિન્ત્ય શક્તિઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જ્યોત અનુભવમાં