Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 44-45.

< Previous Page   Next Page >


Page 29 of 181
PDF/HTML Page 56 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૨૯

આવી શકે છે. ૪૩.

અંતરના ભાવમાંથીઊંડાણમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધચૈતન્ય છે. અંદરની રુચિથી એની ભાવના ઊઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન-વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષમાર્ગ- પ્રકાશકમાં આવે છે કે, વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા મોટપ પોષવાનો હોય તો તેનું બધું વાંચવું-વિચારવું અજ્ઞાન છે. ૪૪.

સ્યાદ્વાદ એ તો સનાતન જૈનદર્શન છે; તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે; તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે; પણ બીજી બાજુ, શુભ રાગ આવે છેહોય છે; એનાં નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે; તેને જે ન માને તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યાદ્રષ્ટિ છે. શુભ રાગ હેય છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે; તેનાં નિમિત્તો ભગવાનની