Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 46.

< Previous Page   Next Page >


Page 30 of 181
PDF/HTML Page 57 of 208

 

૩૦

ગુરુદેવશ્રીનાં વચનામૃત

પ્રતિમા આદિ હોય છે. તેનો નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. ૪૫.

પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે, પણ એ ધર્મ નથી. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને? સિદ્ધપણું નથી એટલું બાધકપણુંએવા શુભ ભાવઆવે. આવે, પણ તે હેય તરીકે આવે, જાણવા માટે આવે; જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે. સમયસાર-નાટકમાં આવે છે ને

‘क हत बनारसी अलप भवथिति जाकी,
सोई जिनप्रतिमा प्रवाँनै जिन सारखी
।।

જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર તુલ્ય વીતરાગ- ભાવવાહી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જિનપ્રતિમા છે, તેની પૂજા, ભક્તિ બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહિ ત્યારે, અશુભથી બચવા, એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહિ. ‘એવો ભાવ ન જ આવેએમ માને તેને વસ્તુસ્વરૂપની ખબર નથી; અને આવે માટે ‘તેનાથી ધર્મ છેએમ માને તોપણ તે બરાબર નથી; એ શુભ રાગ બંધનું કારણ છે.

જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી, ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ