Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 47-48.

< Previous Page   Next Page >


Page 31 of 181
PDF/HTML Page 58 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૩૧

હોય છે. હોય છે માટે તે આદરણીય છેએમ પણ નથી.

નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. જેને નિજ પરમાત્મસ્વભાવનો આશ્રય કરવો છે તેણે રજકણને તેમ જ રાગના અંશને પણ છોડી દેવો પડશે. તેમાં મારાપણાનો અભિપ્રાય છોડી દીધો માટે સમ્યગ્દર્શન થયું, છતાં એવો શુભ ભાવ આવે. આવે તે જાણવાલાયક છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૪૬.

ક્રોધાદિ થવા કાળે, કોઈ પણ જીવ પોતાની હયાતી વિના ‘આ ક્રોધાદિ છે’ એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ ‘જ્ઞાન....જ્ઞાન....જ્ઞાન’ એમ મુખ્યપણે જણાવા છતાં ‘જ્ઞાન તે હું’ એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા ‘રાગાદિ તે હું’ એમ, રાગમાં એકતાબુદ્ધિથી, જાણે છેમાને છે; તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. ૪૭.

ચૈતન્યપરિણતિનો વેગ બહારનિમિત્ત તરફઢળે તે બંધનભાવ છે, ચૈતન્યપરિણતિનો વેગ અંદરસ્વ