Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 181
PDF/HTML Page 59 of 208

 

૩૨

ગુરુદેવશ્રીનાં વચનામૃત

તરફવળે તે અબંધભાવ છે. સ્વાશ્રયભાવથી બંધન અને પરાશ્રયભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી.

વિકલ્પનો એક અંશ પણ મારો નથી, હું તો નિર્વિકલ્પ ચિદાનંદમૂર્તિ છું એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે.

પરાશ્રયભાવમાંભલે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો કે વ્રત-તપ-દયા-દાન વગેરેનો જે શુભ ભાવ હોય તેમાં બંધનો અંશ પણ અભાવ કરવાની તાકાત નથી અને હું અખંડ જ્ઞાયકમૂર્તિ છું તેવી સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી.

પરાશ્રયભાવમાં મોક્ષમાર્ગની અને મોક્ષપર્યાયની ઉત્પત્તિ થતી નથી અને સ્વાશ્રયભાવમાં મોક્ષમાર્ગ તેમ જ મોક્ષપર્યાય બંનેની ઉત્પત્તિ થાય છે. ધ્રૌવ્ય તો એકરૂપ પરિપૂર્ણ છે; મોક્ષપર્યાયનો ઉત્પાદ ને સંસારપર્યાયનો વ્યય થાય છે.

સ્વભાવની શુદ્ધિને રોકનારો તે બંધનભાવ છે; સ્વભાવનો વિકાસ અટકી જવો અને વિકારમાં રોકાઈ જવું તે બંધભાવ છે. ૪૮.