Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 51-53.

< Previous Page   Next Page >


Page 34 of 181
PDF/HTML Page 61 of 208

 

૩૪

ગુરુદેવશ્રીનાં વચનામૃત

નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક- અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મારૂપ સમયસારને અનુભવે છે, આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદનાં ઝરણાં ઝરે છે. ૫૦.

ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ....શ્રીમદ્ભગવત્કુંદકુંદા- ચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. ૫૧.

જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. ૫૨.

જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો