Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 55.

< Previous Page   Next Page >


Page 36 of 181
PDF/HTML Page 63 of 208

 

૩૬

ગુરુદેવશ્રીનાં વચનામૃત

પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ ‘જ્ઞસ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. ૫૪.

પ્રશ્નઃમોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને?

ઉત્તરઃના; પુણ્ય તો વિભાવ છેપરભાવ છે, મોક્ષથી વિરુદ્ધ ભાવ છે, તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યગ્દર્શન છે અને તે તો પુણ્ય-પાપ બંનેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય- પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન અને અનુભવ થાય. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની મોક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે; માટે તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે. પં દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે

मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा,
सम्यक् ता न लहै सो दर्शन धारो भव्य पवित्रा