૩૬
પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ ‘જ્ઞ’સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. ૫૪.
પ્રશ્નઃ — મોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને?
ઉત્તરઃ — ના; પુણ્ય તો વિભાવ છે — પરભાવ છે, મોક્ષથી વિરુદ્ધ ભાવ છે, તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યગ્દર્શન છે અને તે તો પુણ્ય-પાપ બંનેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય- પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન અને અનુભવ થાય. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની — મોક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે; માટે તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે. પં૦ દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે —
सम्यक् ता न लहै सो दर्शन धारो भव्य पवित्रा ।