Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 56.

< Previous Page   Next Page >


Page 37 of 181
PDF/HTML Page 64 of 208

 

ગુરુદેવશ્રીનાં વચનામૃત
૩૭
दौल’ समझ सुन चेत सयाने, काल वृथा मत खोवै,
यह नरभव फि र मिलन क ठिन है, जो सम्यक् नहीं होवै ।।

મોક્ષમાર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહિ, પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, પરમાત્મપણું ન મળે. પરમાત્મપણું તો સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે અને તે જ બધાં શાસ્ત્રોનો સાર છે. ૫૫.

જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખીઅનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા; અને તેથી જ તેમને ‘અભૂતાર્થ’ કહ્યા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માનીભૂતાર્થ જ્ઞાયકસ્વભાવનીઅંતરમાં દ્રષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ