Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 73-74.

< Previous Page   Next Page >


Page 48 of 181
PDF/HTML Page 75 of 208

 

૪૮

ગુરુદેવશ્રીનાં વચનામૃત

નથી, એટલે કે અજ્ઞાની ભાવકર્મનો કર્તા છે પણ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ દ્રવ્યકર્મ અને નોકર્મનો કર્તા તો કદી પણ નથી. ૭૨.

જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવાયોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. ૭૩.

હે ભવ્ય! તું ભાવશ્રુતજ્ઞાનરૂપી અમૃતનું પાન કર. સમ્યક્ શ્રુતજ્ઞાન વડે આત્માનો અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદરસને પી, જેથી તારી અનાદિ મોહતૃષાનો દાહ મટી જાય. ચૈતન્યરસના પ્યાલા તેં કદી પીધા નથી, અજ્ઞાનથી તેં મોહ-રાગ-દ્વેષ-રૂપ ઝેરના પ્યાલા પીધા છે. ભાઈ! હવે તો વીતરાગનાં વચનામૃત પામીને તારા આત્માના ચૈતન્યરસનું પાન કર; જેથી તારી આકુળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો અનુભવ તે તો ઝેરના પાન જેવો છે; ભલે