૫૨
બરાબર કરી શકાય છે. ૭૯.
જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં તારું અપૂર્વ કલ્યાણ થશે. ૮૦.
જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા-ભક્તિ વગેરેના ભાવ આવે પણ તેની દ્રષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી છે. તેને આત્માનું ભાન છે; તે ભાનમાં તેને સતત ધર્મ વર્તી રહ્યો છે. સાચું સમજે તેને વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, જિનેન્દ્રપ્રભુના નામસ્મરણથી પણ ચિત્ત ભક્તિ- ભાવથી ઊછળી જાય છે. અંતરમાં વીતરાગી આત્માનું લક્ષ થાય અને બહારના આકરા રાગ ન ટળે એ કેમ બને? ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવા-પીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ