Gurustutiaadisangrah (Gujarati). 42. NEMEESHWAR KEVA HASHE?.

< Previous Page   Next Page >


Page 55 of 95
PDF/HTML Page 63 of 103

 

background image
આજ દેવાધિદેવ નેમિનાથનાં રે,
તીર્થ ગિરનારે દર્શન થાય,
આજ મીઠાં૦...૧૬.
શ્રી કહાનગુરુના પ્રતાપથી રે,
અહો અપૂર્વ યાત્રા થાય,
આજ મીઠાં૦...૧૭.
કહાનગુરુ મળ્યા અહોભાગ્યથી રે,
સમજાવ્યા સત્ય શિવપંથ,
આજ મીઠાં૦...૧૮.
૪૨. નેમિશ્વર કેવા હશે?
(રાગઃ મને કહોને કુંદકુંદપ્રભુ કેવા હશે?)
મને કહોનેનેમીશ્વર કેવા હશે?
ગુરુ કહોનેનેમીશ્વર કેવા હશે?
કેવા હશે? ક્યાં રહેતા હશે?...મને કહોને૦
શિવાદેવીના નંદ કેવા હશે?...મને કહોને૦ ૧.
શંખના નાદે ધરતી ધ્રુજાવનાર,
સૌરાષ્ટ્રદેશની ભૂમિ ઉજાળનાર,
તીર્થંકરદેવ એ કેવા હશે?...મને કહોને૦
ત્રિભુવનપૂજ્ય એ કેવા હશે?...મને કહોને૦ ૨.
પશુડાં તણો પોકાર સુણીને,
પરમ વૈરાગ્ય દિલમાં ધરીને,
રાજુલને ત્યાગનાર કેવા હશે?...મને કહોને૦
વનવિહારી એ કેવા હશે?...મને કહોને૦ ૩.
[ ૫૫ ]