થાય? આત્માર્થીએ આવા જ પ્રશ્નો કરવા જોઈએ. સહજ તેને પ્રશ્નો એવા જ ઊઠે.
બહુ લાગી છે. પણ અરે! આ પાણી તો તારી પાસે જ ભર્યું છે. પાણીમાં જ તું છો. તો
માછલી કહે છે કે તમે પણ જ્ઞાનથી જ ભર્યા છો. તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો.
વખત મળતો નથી. માટે કહે છે મોક્ષેચ્છુએ આત્માની ચાહ કરવી, આત્માની લગની
લગાડવી, બીજાની લગની છોડવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે.
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।। ५१।।
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. પ૧.
મલિનતાનું ઘર છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું ઘર છે. એમ જરાક શરીર
ઉપરથી ચામડી ઉતરડે તો ખબર પડી જાય. તે જોવા પણ ઊભો ન રહે.
ક્ષણમાત્ર પણ શાતા નથી. નરક અત્યંત ગ્લાનિકારક છે, ખરાબ છે, દુઃખકારી છે પણ
તને ખબર નથી ભાઈ! આ શરીર પણ નરકના ઘર જેવું છે, એમાં બધું ગ્લાનિકારક જ
ભર્યુ છે. જે શરીર ઉપર જીવને અતિશય પ્રેમ છે એ જ શરીરના લોહી, પરુ, હાડકાં,
માંસ આદિ જુદાં જુદાં ભાગ કરીને બતાવે તો તે જોવા પણ ઊભો ન રહે.
માનસિક અને શારીરિક વેદનાનો પાર નથી. આમ આખી જિંદગી વીતાવે છે. એમાં જો
આત્મા પોતાનું સાધન કરે તો ફરી આવો દુઃખમય દેહ જ ન મળે પણ તેને આત્માનો
મહિમા આવતો નથી. જીવને પરનો જ મહિમા આવે છે તેથી એનો પ્રેમ પરમાં જ
લૂંટાઈ જાય છે.