Hoon Parmatma (Gujarati). Pravachan: 20.

< Previous Page   Next Page >


Page 111 of 238
PDF/HTML Page 122 of 249

 

background image
પરમાત્મા] [૧૧૧
[પ્રવચન નં. ર૦]
ભાઈ! તારા પરમાત્માની ઓળખાણ કર!
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૮-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. પ૬ ગાથા પૂરી થઈ છે પ૬મી ગાથામાં એમ
આવ્યું કે ‘આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે’ તે જ્ઞાનને જ્ઞાનથી પ્રત્યક્ષ ન જાણે ત્યાં સુધી
એને આત્માનું કાંઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને
તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
रयण दीउ दिणयर देहिउ दुध्दु धीव पाहाणु ।
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।। ५७।।
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પત્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭.
આ ગાથામાં ૯ દ્રષ્ટાંત વડે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાન-
પ્રકાશમય છે. રત્ન જેમ નિત્ય-કાયમ ટકનાર છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપે અવિનાશી
કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય
સમ્યગ્જ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી
સમ્યગ્દ્રષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની
કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન
શકે. કેમ કે શરીરની ક્રિયા વડે કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ
શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન
પ્રાપ્ત થાય.
ર. આત્મા દીપક સમાન સ્વ-પરપ્રકાશક છે. દીવો જેમ પોતાને અને અન્ય
પદાર્થોને પ્રકાશે છે પણ પરરૂપે થતો નથી, તેમ આ ચૈતન્ય દીવો પોતાને અને પરદ્રવ્ય-
ગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ,
કર્મ, પુદ્ગલ આદિ બધાંને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય
છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ
જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને
એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.