केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
જાય છે. જ્ઞાનની સાથે શાશ્વત નિત્ય અવિનાશી કાયમ ટકે એવા સુખને પણ પામે છે.
પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમતાં સાથે પૂર્ણ સુખને પણ પામે એવું આત્માનુભવનું મહાન ફળ
છે. અભ્યંતર મોક્ષમાર્ગનું-અનુભવનું ફળ કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ છે.
ઉપયોગને આત્મામાં જોડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય-તેની શી વાત! તે
આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવની કાંઈ ગણતરી નથી. તે ઇન્દ્રપદ અને
ચક્રવર્તીપદ તો પુણ્યના ફળ છે. આત્મજ્ઞાનના ફળમાં તો કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ
પ્રગટ થાય છે તે જ વાત અહીં લીધી છે. વચ્ચે રાગના ફળમાં ઇન્દ્રપદ કે ચક્રવર્તીના
વૈભવો મળે છે તેની વાત અહીં યાદ કરી નથી, કારણ કે તે સાધ્ય નથી. સાધ્ય તો
કેવળજ્ઞાન અને શાશ્વત સુખ છે અને તે જ આત્મજ્ઞાનનું સાચું ફળ છે. આત્મજ્ઞાનનો
અપાર મહિમા છે. આમ આત્માને કઈ રીતે જાણવો અને તેનું ફળ કેવું મહાન છે તે
આ ગાથામાં બતાવ્યું છે.
જેમ અશરીરી છું. શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે
જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહિ કરે તો જ્યારે
શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે