વિકલ્પ છે તે બધો અધર્મ છે. જે જીવ ભગવાન અરિહંત, સિદ્ધના સ્વરૂપને એટલે કે
તેમનું દ્રવ્ય, અનંતી શક્તિઓ અને વર્તમાન અવસ્થાને જાણે તેને પોતાના આત્માના
દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનો પ્રયત્ન થાય. આમ ભગવાન જેવા જ પોતાના આત્માનો
સ્વીકાર કરવો, તેમાં એકાકાર થવું તે જ સ્વાનુભવની કળા છે.
પુણ્ય-પાપભાવની કિંમત ઊડી જાય છે. મનુષ્યદેહમાં આ વસ્તુ પામવાનો અમૂલ્ય
અવસર છે તેને જો જીવ ચૂકી જશે તો ચોરાશીના અવતારની ખીણમાં ડુબી જશે.
ત્યાંથી તેને બચાવનાર કોઈ નથી.
એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ
ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી
હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણી-
રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ.
હે જીવ! સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ
ચાર આરાધનાની ઉત્તરોતર વૃદ્ધિ અને શુદ્ધિમાં
તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ
તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭.