Hoon Parmatma (Gujarati). Pravachan: 28.

< Previous Page   Next Page >


Page 149 of 238
PDF/HTML Page 160 of 249

 

background image
પરમાત્મા] [૧૪૯
[પ્રવચન નં. ૨૮]
એકરૂપ નિજ–પરમાત્મામાં સ્થિરતા તે નિશ્ચય
નિજ–પરમાત્માનો અનેકરૂપ ભેદ–વિચાર તે વ્યવહાર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૭-૬૬]
શ્રી યોગસાર એ આગમનો સાર છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે ક્યાં
જોડાણ કરવું અને ક્યાંથી ખસવું તેની આમાં મુદની વાત છે.
રાગ-દ્વેષાદિથી ખસી પોતાના પૂર્ણસ્વરૂપ ઉપર દ્રષ્ટિ દેતાં આત્માનું હિત એટલે કે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં ૭૬ મી ગાથામાં આત્માના ગુણોની
ભાવના કરવાનું કહે છે. જો કે પોતાના પૂર્ણસ્વરૂપમાં જ લીન થવાનું છે પરંતુ જ્યાં
સુધી તેમાં પૂર્ણપણે લીન ન થઈ શકે ત્યાં સુધી તેના જુદા-જુદા ગુણોના વિચાર કરવા
એમ અહીં કહે છે.
बे ते चउ पंच वि णवहं सत्तह छह पंचाहं ।
चउगुण–सहियउ सो मुणह एयई लक्खण जाहं ।। ७६।।
બે, ત્રણ, ચાર ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬
અનંત ગુણનું એકરૂપ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ કરીને તેમાં સ્થિર થવું તે
નિશ્ચય છે અને સ્થિર થવા પહેલાં પોતાના વિવિધ ગુણોનો વિચાર કરવો તે વ્યવહાર
છે. નજીકનો વ્યવહાર આ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદિની ભક્તિનો વ્યવહાર તે બહારનો
દૂરનો વ્યવહાર છે-પોતાના ગુણોનો વિચાર કરવો તે નજીકમાં નજીકનો વ્યવહાર છે.
આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, અનંતગુણના ગોદામ સ્વરૂપ આત્માને જ્ઞાયકરૂપે
ભાવવો-એકરૂપે ભાવવો તે ધર્મ કરનારનું મુખ્ય કર્તવ્ય છે પણ તેમાં સ્થિર ન થઈ શકે
ત્યારે ધર્મી બે, ત્રણ, ચાર એમ વિવિધ પ્રકારે આત્માના ગુણોનો વિચાર કરે છે,
ભાવના કરે છે તે વ્યવહાર છે. આ યોગસારનો વ્યવહાર પણ જુદી જાતનો છે. ટૂંકામાં
બહુ સરસ વાત કરી છે.
મોક્ષાર્થી જીવ જ્યારે એક જ્ઞાયકસ્વભાવમાં સ્થિર ન થઈ શકે ત્યારે
વ્યવહારનયથી આત્મા ગુણ-પર્યાયવાળો છે એમ વિચાર કરે છે. જાણનાર-દેખનાર
આત્મા પોતાના મૂળ સ્વરૂપને જાણીને તેમાં ઠરે એ તો એનું મુખ્ય કર્તવ્ય છે પણ
પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સ્વભાવમાં ઠરી ન શકે તો મારો આત્મા
જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત
શક્તિસ્વરૂપે મારો આત્મા બિરાજી રહ્યો છે એવો વિચાર કરે તે વ્યવહાર છે.