ચારગતિના દુઃખનો ત્રાસ લાગ્યો હોય એવા જીવોને માટે આ મારો યોગસારનો ઉપદેશ
છે એમ કહે છે. હજી અમારે એકાદ ભવ કરવો છે, સ્વર્ગમાં જવું છે.....જેને જનમ-
મરણનો ત્રાસ નથી એને અમારો ઉપદેશ લાગશે નહિ.
મોક્ષની લાલસા, મોક્ષની અભિલાષા ધારણ કરવાવાળા માટે આ મારું યોગસાર છે--
એમ આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે. છેલ્લે એમ કહેશે કે મારા માટે આ યોગસાર
કહ્યું છે.
આદિની ચાહનાવાળા જીવોને માટે અમારો ઉપદેશ નથી. ચારગતિનો ત્રાસ અને મોક્ષની
તાલાવેલીવાળા જીવોને મારે એક જ વાત કહેવી છે, શું કહેવી છે?-કે આત્માનું સ્વરૂપ
સમજાવવા માટે, તારી અંદર જાત શું છે ભાઈ!-એ સમજાવવા માટે આત્માનું સંબોધન
કરવું છે. તારા સ્વરૂપમાં શું ભર્યું છે ને આ વિકાર-ફિકાર એ તારી જાત નથી-એવા
આત્માના સ્વરૂપને સમજાવવા માટે એકાગ્ર મનથી હું અત્યારે દોહાની રચના કરીશ.