કહ્યું છે? કે જે ચાર ગતિના ભવના ભયથી દુઃખી થયો હોય, ચાર ગતિના દુઃખનો ડર
લાગ્યો હોય અને જેને મોક્ષની અભિલાષા હોય તેને માટે આ યોગસાર કહે છે-એમ
પહેલી શરત મૂકી છે.
मिच्छा–दंसण–मोहियउ णवि सुह दुख्ख जि पत्तु ।। ४।।
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત. ૪.
માંડીને નવમી ગૈ્રવેયકના-ચાર ગતિમાં રખડનારા દુઃખી-દુઃખી જીવો અનાદિથી છે. એક
જરીક પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય ને જરીક અનુકૂળતા આવે ત્યાં
હરખના સડકા માને!-એ બધા દુઃખી-દુઃખી છે. કાળ પણ અનાદિનો ને જીવ પણ
અનાદિથી છે. સંસારી જીવની અશુદ્ધતા પણ અનાદિની છે. આત્મા અનાદિનો છે અને
તેની મલિન પર્યાય પણ અનાદિની છે. શેરડીમાં રસ ને કૂચો ભેગા જ છે, પહેલા-પછી
નથી; ખાણમાં સોનું ને પથ્થર પહેલેથી જ બન્ને સાથે છે. પહેલાં સોનું હતું ને પછી
પથ્થર ભેગો થયો-એમ નથી; દૂધમાં દૂધને પાણી દોવામાં સાથે જ હોય છે; તલમાં
તેલને ખોળ બન્ને પહેલેથી જ ભેગા છે અને જુદા પાડે તો પાડી શકે એમ છે. ચકમકમાં
અગ્નિ અને ચકમક અનાદિના છે. તેમ આત્મા શુદ્ધ દ્રવ્ય તરીકે અનાદિ છે ને સંસાર
અશુદ્ધ દશા અનાદિથી છે.
જ છે. એમ આત્મા વસ્તુએ તો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે છતાં તેને પર્યાયમાં મલિનતા
કેમ આવી?-