વળી કહે છે કે આ શાસ્ત્રની રચના મારાથી થઈ નથી, એ તો પુદ્ગલ-શબ્દોની રચના
છે. માટે આ ટીકા અમૃતચંદ્રસૂરીએ રચી છે એમ ન નાચો. ભાષામાં સ્વ-પરને કહેવાની
તાકાત છે અને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. ‘આ ચૈતન્યને ચૈતન્યપણે
આજે જ પ્રબળપણે અનુભવો.’ સારા કામમાં ડાહ્યો માણસ વાયદા ન કરે. માટે
ભગવાન આત્મા કોઈનો કર્તા-હર્તા નથી માત્ર જાણનાર-દેખનાર છે-એવો સ્વીકાર
કરીને અત્યારે જ અતીન્દ્રિય આનંદનો અનુભવ કર! વાયદા ન કર!
કલ્યાણનો કાળ જતો રહેશે. માટે મિથ્યા માન્યતા છોડીને સ્વાનુભવ કરી લે. કહ્યું છે કેઃ
રહેવું તે ચારિત્ર છે. આત્મા પોતે પોતાથી પોતામાં એક થઈ જાય છે ત્યાં રત્નત્રયની
ઐક્યતા થાય છે, આ રત્નત્રયધર્મ જ નિજ-આત્માનો સ્વભાવ છે.
લાગતાં હશે? જાણે હાલતાં-ચાલતાં સિદ્ધ જોઈ લ્યો. એવા એ અમૃતચંદ્ર આચાર્ય
પુરુષાર્થસિદ્ધિમાં લખે છે કે આત્માનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન અને આત્મામાં સ્થિરતા તે ચારિત્ર. આ ત્રણેયથી કર્મબંધન થતું નથી.
तिहिं कारणहं जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત.
રહેલાં તારા દેખાય જાય છે, તારાને જોવા ઉપર નજર કરવી પડતી નથી. તેમ
ભગવાનને પોતાના આત્માને અવલંબીને પ્રગટ થયેલી પૂર્ણ કેવળજ્ઞાનની એક સમયની
પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય જાય છે, પણ જેમ પાણીમાં તારા આવી જતાં નથી
તેમ જ્ઞાનમાં લોકાલોક આવી જતું નથી. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન આવે છે.