દ્રવ્યની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એ
શુદ્ધતાથી જ જાણ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થયા વગર ક્યાંથી
જણાય કે દ્રવ્ય શુદ્ધ છે? માટે જ કહ્યું કે પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને તેને શુદ્ધ જાણવો
તે દ્વાદશાંગ વાણીનો સાર છે.
જણાય છે. અહો! ચારે પડખેથી સત્ય ઊભું થાય છે. દિવ્યજ્ઞાનની શી વાત? સ્વભાવને
શી મર્યાદા? લોકાલોક તો શું પણ તેથી અનંતગુણા લોકાલોક હોય તેને પણ જાણવાનું
જ્ઞાનમાં સામર્થ્ય છે. સ્વતઃ સ્વભાવ છે, સહજ તાકાત છે. જડ પરમાણુમાં પણ એક
સમયમાં આખા બ્રહ્માંડમાં જવાની તાકાત છે, તો જ્ઞાનની તાકાતનું શું કહેવું? જેનો જે
સ્વભાવ હોય તેમાં મર્યાદા ન હોય.
દેવ હોય તોપણ તે પૂજ્ય નથી. માટે જ કહ્યું છે કે સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ
ભલો છે અને સમ્યગ્દર્શન વિના સ્વર્ગનો વાસ પણ ભલો નથી. સમ્યગ્દર્શન થયું તેનો
તો મોક્ષ થઈ ગયો.
આવી જાય છે. બહાર ક્યાંય શોધવા જવું પડતું નથી.
ઈન્દ્રિયસુખનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો.
પરચીજનો માલિક થતો નથી. મિથ્યાત્વદશામાં શરીર અને પરદ્રવ્યમાં અહંકાર, મમકાર
કરતો તે હવે આત્મામાં અહંકાર અને તેના ગુણોમાં મમકાર કરવા લાગ્યો.
ઈષ્ટ-અનિષ્ટની દ્રષ્ટિ છોડીને સ્વભાવપ્રાપ્તિનો ઉદ્યમી થઈ જાય છે. દ્રષ્ટિએ ગુલાંટ ખાધી
ત્યાં બધું બદલાઈ ગયું. તેની મહિમા કેમ કરવી?