વ્યવહાર કહી છે.
આત્માને) દ્રષ્ટિમાં પકડયો અને તેમાં આગળ વધ્યો તેને હવે શું બાકી રહે? શ્રાવકને
પડિમા હોય છે એ તો વ્યવહાર છે પણ અંદરમાં સ્થિરતાના અંશો વધે છે એ ખરેખર
પડિમા છે. આગળ વધતાં છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિરતા વિશેષ વધી જાય છે અને
પ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં છઠ્ઠાથી પણ વિશેષ
સ્થિરતા વધી જાય છે-એમ વધતાં-વધતાં બારમા ગુણસ્થાનમાં વીતરાગતા થતાં
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
‘તું એક આત્મા સંબંધી જ પ્રશ્ન પૂછ! તેનો જ ઉત્તર માંગ. માત્ર જાણવાના વિષયમાં
આગળ વધીને શું કરીશ? આત્માને તો પહેલાં સમજી લે!’ મોક્ષના પ્રેમીનું એ કર્તવ્ય છે
કે આત્મા સંબંધી જ પ્રશ્ન કરે. આત્માની સમજણ વગર ધ્યાન પણ વ્યર્થ છે.
तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प–सहावि ।। ९२।।
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ.
અધિકારની ૨૦૬ ગાથામાં લીધું છે કે “તું આત્માની પ્રીતિ કર, આત્મામાં સંતુષ્ટ થા,
તેમાં જ તૃપ્તિ પામ, તને ઉત્તમ સુખ થશે.”
ને! તારો ભગવાન અનંતી સિદ્ધ પર્યાયને અંતરમાં રાખીને બેઠો છે એ સિદ્ધગીરી ઉપર
ચડ તો તારી જાત્રા સફળ થશે. શત્રુનો જય કરનારો શત્રુંજય પણ તારો ભગવાન
આત્મા છે તેની યાત્રા કર! અશુભથી બચવા શુભભાવ આવે. ન આવે એમ નથી પણ
અંતરમાં નક્કી નિર્ણય રાખજે કે સ્વાશ્રય વિના કદી મુક્તિ નથી, કલ્યાણ નથી.