નચાવે છે અને કર્મચેતના તથા કર્મફળચેતનાને છોડે છે.
છે એમ માનીને તેને વળગ્યો છે. તેથી જ અમૃતચંદ્રાચાર્યે ૪૧૩ ગાથામાં કહ્યું છે કે
અજ્ઞાની જીવો અનાદિરૂઢ-વ્યવહારમૂઢ અને નિશ્ચય અનારૂઢ છે, અને જ્ઞાની વ્યવહારમૂઢ
નથી, પણ વ્યવહારને જાણનાર છે. નિશ્ચય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા પછી થોડી અસ્થિરતાને
લીધે રાગ આવે છે તે વ્યવહાર છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વગર વ્યવહાર
ત્રણકાળમાં હોતો જ નથી.
મુનિરાજ કહે છે કે ‘પ્રભુ! તું જ ભગવાન છો’ પણ તેને પોતાનું સ્વરૂપ જોવાની
ફુરસદ નથી. અરે! તેની સન્મુખ દ્રષ્ટિ કરવી, એ મને ઠીક છે, તેમાં મારું હિત છે એમ
પણ તેને હજી બેસતું નથી, અને વ્યવહારની જ રુચિ રહે છે, પણ તેમાં તારું અહિત
થાય છે ભાઈ!
जोइज्जइ गुण–गणि–णिलउ णिम्मल–तेय–फुरंनु ।। ९४।।
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ.
આવો તે આત્મા ક્ષેત્રથી પણ કેવડો મોટો હશે? તેને મુનિરાજ કહે છે કે ભાઈ! મોટા
ક્ષેત્રથી આત્માની મહાનતા નથી. તેની મહાનતા તો ગુણની અચિંત્યતાથી છે.
સ્ફુરાયમાન છે, અતિ પવિત્ર છે. આવા આત્માને અંતરજ્ઞાન અને શ્રદ્ધાથી જોવો જોઈએ.
વસ્તુદ્રષ્ટિથી જુઓ તો આત્મા ત્રિકાળ નિરાવરણ, સ્ફટિક જેવો શુદ્ધ નિર્મળ છે. વસ્તુને વળી
આવરણ કેવા? આત્મા તો ત્રિકાળ નિરાવરણ, સામાન્ય-વિશેષ ગુણોનો સાગર, જ્ઞાતા-
દ્રષ્ટા, વીતરાગ, પરમાનંદમય, પરમ વીર્યવાન અને શુદ્ધ સમકિત ગુણધારી છે.