ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ.
સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય
છે. તે પહેલાં ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક્ શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને
રુચિ હોતા નથી તેથી આત્માની લગની લાગતી નથી.
જેને આવડે છે તેને આત્માની સવળી રુચિ થતાં આત્માનું ધ્યાન કરતાં કેમ ન આવડે?
આવડે જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોળી પડી જાય છે અને સવળા ધ્યાનમાં તાકાત
ઉગ્રતા ધારણ કરે છે.
તરણાતુલ્ય-તુચ્છ ભાસે છે. આત્માના આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી
લાગે છે તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી.
અર્થાત્ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ
શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે
કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે?