અભાવસ્વરૂપ નિજ જ્ઞાનસ્વભાવ જ છે.
લખવાનો વિકલ્પ ઉઠયો તે પણ મારો સ્વભાવ નથી. તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે.
નિશ્ચયથી તો હું પણ જ્ઞાનમય છું અને બધા આત્માઓ પણ જ્ઞાનમય છે. આખો લોક
જ્ઞાનમય પરમાત્માથી ભરેલો છે. બધાની સત્તા જુદી જુદી છે, સિદ્ધની પણ દરેક ની
સત્તા અલગ-અલગ છે. કેમ કે મોક્ષ થાય ત્યાં સત્તાનો અભાવ થતો નથી. વિકારનો
અભાવ થાય છે, તેથી મોક્ષમાં જ્યોતમાં જ્યોત ભળી જાય છે એ અન્યમતિની વાત
જૂઠી છે. દરેક સિદ્ધ જીવની સત્તા જુદી-જુદી છે. એક ક્ષેત્રમાં રહેવા છતાં અનંત સિદ્ધોની
સત્તા ન્યારી-ન્યારી છે. દરેકનો અસ્તિત્વગુણ જ એવો છે કે જેને લઈને દરેકનું
અનાદિ-અનંત સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, કોઈમાં કોઈનું અસ્તિત્વ ભળી જતું નથી.
જે સર્વને જ્ઞાનમય દેખે તેને હોય અને કેમ હોય? કે સ્વભાવનો આશ્રય કરવાથી હોય.
થાય છે અને વિષમદ્રષ્ટિ છૂટી જાય છે. આ પરમાત્મા છે માટે રાગ કરવો કે આ
જૈનદર્શનનો વિરોધી છે માટે દ્વેષ કરવો એ વાત જ આ સ્વભાવદ્રષ્ટિમાં નથી.
નિજ આત્માની દ્રષ્ટિ કરીને સ્થિર થાય તે ગિરિગૂફા છે, બાકી બહારથી ગિરિગૂફામાં
જઈને બેસે તેથી શું?
આત્મામાં તું તારા પરમાત્મપદને ધ્યાવ! જેથી તું સાચા સુખનો અનુભવ કરી શકીશ.
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.