સમભાવ રહે છે અને ચારિત્રની નબળાઈ વશ અલ્પ રાગ-દ્વેષ થાય તેને જ્ઞાની
પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
તેની પર્યાયમાં થતાં કાર્યને પણ વ્યવહાર તરીકે જાણે છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને પર્યાય
તે વ્યવહાર છે. દ્રવ્ય વગરની પર્યાય ન હોય-નિશ્ચય વગરનો વ્યવહાર ન હોય. આવું
જાણતાં જ્ઞાની પોતાની પર્યાયમાં થતાં રાગને પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
વચ્ચે ભેદજ્ઞાન કરવું તે સમભાવ છે. આ અપેક્ષાએ જ્ઞાની રાગ-દ્વેષ કરતાં નથી એમ
કહેવાય છે. ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે તેની અહીં ગૌણતા છે.
सो बियऊ चारित्तु मुणि जो पंचम–गइ णेइ ।। १०१।।
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ.
આત્માને આત્મામાં સ્થાપવો તેને છેદોપસ્થાપના નામનું બીજું ચારિત્ર કહેવાય છે એમ
યોગીન્દ્રદેવ કહે છે. આમ તો, સામાયિકમાં બેઠા હોય અને તેમાં કોઈ વિકલ્પ આવી
જાય. દોષ લાગે તેને છેદીને ફરી આત્મામાં સ્થિર થાય તેને છેદોપસ્થાપના કહેવાય છે.
પણ અહીં તો યોગીન્દ્રદેવે અધ્યાત્મથી છેદોપસ્થાપનાનું સ્વરૂપ કીધું છે.
નયે કૂટસ્થ કહ્યું છે તેમ મોક્ષમાં એકધારી સ્થિરતા હોવાથી તેને પણ ધ્રુવ કહ્યો છે.
સ્થિરતા પલટે છે પણ એકધારી એવી ને એવી થતી રહે છે માટે તેને ધ્રુવ કહી છે.
सो परिहार–विसुद्धि मुणि लहु पावहि सिव–सिद्धि ।। १०२।।