લેતાં માત્ર તેમની આત્મ-આરાધનાની ક્રિયા આરાધવાલાયક છે.
મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે પણ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે. તેથી મોક્ષના
અર્થીને ઉચિત છે કે આ એક સ્વાનુભવરૂપ મોક્ષમાર્ગનું સેવન કરે.
મહાન દ્રષ્ટિ છે તેના વડે મહાન એવા ભગવાન આત્માની શ્રદ્ધા થાય ત્યારે તેમાં રમણ
ક્યાં કરવું તેનું ભાન થાય છે. આવું સમ્યગ્દર્શન થયા પછી પણ અમૃતચંદ્ર આચાર્ય ૮૦
મી ગાથામાં કહે છે કે પ્રમાદરૂપી ચોર મારી સંપદા લૂંટી ન જાય તે માટે હું સાવધાન
રહું છું-પ્રમાદ છોડીને પુરુષાર્થની કેડ બાંધીને બેઠો છું.
આત્મામાં જ પડયું છે ભાઈ! ભગવાનને યાદ કરવા એ તો રાગ છે પણ રાગરહિત
નિજસ્વરૂપનું શરણ લે ત્યારે ખરું અરિહંત અને સિદ્ધનું શરણ લીધું કહેવાય.
सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्धु ।। १०५।।
બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ, અનંત પણ તે જ. ૧૦પ.
ગુણ છે અને એટલી જ તેની પર્યાયો છે-આવો આત્મા વેદાંત આદિ કોઈ મતમાં કહ્યો
નથી. અજ્ઞાનીઓએ તો અસર્વાંશમાં સર્વાંશ માન્યું છે. અહીં તો સર્વાંશે આખી ચીજ
જેવી છે તેવી કહેવાય છે. આવો જે આત્મા છે તે પાંચ પરમેષ્ઠીરૂપે પરિણમે છે તેને જ
અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહ્યો છે.
કોઈ બ્રહ્મા આદિ નથી. અરે ભાઈ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાને જોયું બીજું
અને કહ્યું બીજું એવું નથી. છ પ્રકારના દ્રવ્યો જેવા જોયાં તેવા જ ભગવાને કહ્યાં છે.